ધૈર્યરાજસિંહ માટે આવી ગયું આટલા કરોડ રૂપિયા નું દાન. જાણો કોને કેટલું આપ્યું દાન

નમસ્કાર મિત્રો, આપનુ સ્વાગત છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત ના મહીસાગર જિલ્લાના એક ગામ નું એક નાનકડું બાળક કે જેની ઉંમર ફક્ત 3 થી 4 મહિનાની છે અને તેનું નામ ધૈર્યરાજસિંહ છે. અને આ બાળક SMA 1 નામની બીમારી થી પીડાય છે.
આ બીમારી એવી છે કે આ બિમારીથી શરીર માં ચેતાતંતુ બનતા નથી આ એક કરોડરજ્જુ સબંધી બીમારી છે. અને આ બીમારી નો ઈલાજ આપણ દેશ માં શક્ય નથી આ બીમારી નાં ઈલાજ માટે અમેરિકા થી ઇંજેક્શન મંગાવવું પડે છે. અને આ ઇંજેક્શન ની કિંમત 16 કરોડ રૂપિયા જેટલી છે. માટે આ બીમારી કોઈ મધ્યમ વર્ગ નાં લોકો ને કરાવવી અશક્ય છે.
ધૈર્યરાજસિંહ નાં ઈલાજ માટે 16 કરોડ રૂપિયા ની જરૂર છે ત્યારે અત્યાર સુધી માં 12  કરોડ રૂપિયા જેટલા રૂપિયા આવી ગયા છે.હજુ સુધી ધૈર્યરાજસિંહ નાં ઈલાજ માટે 3 થી 4 કરોડ રૂપિયા ની જરૂર છે. આપણે પણ વિનંતી છે કે ફૂલ નહીતો ફૂલ ની પાંખડી પણ આ બાળક માટે સહાય કરજો. અને તમે આ પોસ્ટ શેર કરજો એટલે લોકો પણ આ માસૂમ બાળક માટે મદદ કરી શકે.જો તમે પણ આ માસૂમ બાળક ની બીમારી માટે મદદ કરવા માંગતા હોય તો નીચે તેની બેંક ની વિગત આપેલી છે તેમાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
આપણે સૌ ભગવાન ને પ્રાથના કરીએ કે આ માસૂમ બાળક ને આ બીમારીમાંથી છુટકારો મળે અને તે પણ તંદુરસ્ત બની જાય.

Post a Comment

Previous Post Next Post